FPO શું છે? તે IPO થી કેવી રીતે અલગ છે, જાણો.

આજકાલના આધુનિક સમયમાં શેર માર્કેટ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે તો શેર માર્કેટ વિષે કેટલીક મહત્વની જાણકારી હોવી પણ જરૂરી છે તમે FPO અને IPO નું નામ સાંભળ્યું હશે,તમારા મનમાં એ આવ્યું જ હશે કે આખરે તેઓ શું છે? તેના માટે આજે અમે તમને જણાવીશું,કે FPO શું છે? તે IPO થી કેવી રીતે અલગ છે.

FPO શું છે? તે IPO થી કેવી રીતે અલગ છે, જાણો.
FPO શું છે? (What is FPO)

FPO શું છે? (What is FPO)

FPO (Follow on Public Offer),FPO દ્વારા કંપની પોતાની જાહેર ઓફર પર તેનું અનુસરણ જાહેર કરે છે. એટલે કે જે કંપની પહેલાથી જ શેરબજારમાં સૂચિબદ્ધ થયેલ છે, તે રોકાણકારોને નવા શેર ઓફર કરે છે. આ શેર બજારમાં હાજર શેરો કરતા અલગ છે. મોટે ભાગે આ શેર પ્રમોટરો દ્વારા જારી કરવામાં આવે છે. મતલબ કે તેઓ તેમના શેરનો હિસ્સો બજારમાં રોકાણકારોને વેચે છે. FPO નો ઉપયોગ કંપનીના ઇક્વિટી બેઝમાં વિવિધતા લાવવા માટે થાય છે.

FPO કેવી રીતે કામ કરે છે?

FPO ને વધુ સરળ શબ્દોમાં સમજીએ તો , આ કંપનીના હાલના શેરની સંખ્યાના વધારાના શેર છે. કંપનીઓ ઓફર ડોક્યુમેન્ટ દ્વારા પણ આનો લાભ લઈ શકે છે. કંપનીઓ ઓફર ડોક્યુમેન્ટ દ્વારા પણ આનો લાભ લઈ શકે છે.FPO ને IPO ન ગણવું એ બિલકુલ ખોટું છે. IPO એ FPO થી સંપૂર્ણપણે અલગ છે.

IPO શું છે (What is IPO)

IPO એટલે પ્રારંભિક જાહેર ઓફર (Initial Public Offering),જ્યારે કોઈ કંપની પ્રથમ વખત જાહેર જનતાને તેના શેર ઓફર કરે છે, ત્યારે તેને IPO કહેવામાં આવે છે. જેમ કે દેશની બધી જ ખાનગી કંપનીઓ અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે છે અને જ્યારે આ કંપનીઓને ભંડોળની જરૂર પડે છે, ત્યારે કંપનીઓ પોતાને શેરબજારમાં સૂચિબદ્ધ કરે છે અને તેનો શ્રેષ્ઠ માર્ગ છે IPO દ્વારા. IPO બહાર પાડ્યા પછી, કંપની શેરબજારમાં સૂચિબદ્ધ થાય છે. આ પછી રોકાણકારો તેના શેર વેચી અને ખરીદી શકે છે.

કંપનીમાં IPO ખરીદનારાઓનો હિસ્સો છે

જેઓ કંપનીનો IPO ખરીદે છે તેઓને કંપનીમાં હિસ્સો મળી જાય છે અને ફંડ કંપની પાસે એકત્ર થાય છે; IPO લાવ્યા પછી, તે કંપની ચલાવનાર માત્ર માલિક કે પરિવાર જ નહી , પરંતુ તે બધા રોકાણકારો પણ સામેલ છે, જેમના પૈસા તેના શેરમાં રોકાણ કરવામાં આવે છે. કંપની તેની કંપનીની પ્રગતિ અને અન્ય તમામ કામો માટે રોકાણકારો પાસેથી મળેલ ભંડોળનો ખર્ચ કરી શકે છે.

તાજેતરમાં Adani Enterprises કંપનીના શેરના ભાવમાં 28% નો કડાકો થયા બાદ અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળ અદાણી એન્ટરપ્રાઇઝ NSE -18.52% એ હાલમાં ​​તેની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)ને બંધ કરી દીધી છે અને કહ્યું છે કે રોકાણકારોને નાણાં પરત કરવામાં આવશે

Leave a Comment